માં

સમુદ્રની સ્યાહી બનાવી,સવૅ વૃક્ષોની ડાળીઓને કલમ બનાવી, અને સમગ્ર પૃથ્વીને પત્ર બનાવી સ્વયં દેવી શારદા ઈશ્વરના વાત્સલ્ય, કરુણા તેમજ ઉદારતા જેવા અનેક ગુણોને લખવા બેસે ને તો પણ તેનો કદી પાર ન આવે..
અપાર શક્તિશાળી, પ્રેમ, વાત્સલ્ય જેવા અનન્ય ગુણો ધરાવતા ઈશ્વરને તમે જોયા છે ખરાં.......?
હાં!!! એ ઈશ્વરને સાવ સગી આંખે મે ધરતી પર "માં" ના સ્વરૂપે જોયા છે.......જીવન નો પ્રત્યેક દિવસ, દિવસ ની પ્રત્યેક ક્ષણ જેની માત્ર સંતાનના સ્મિત સાથે જોડાયેલી રહે એ છે "માં". માં એ માનવ જીવનનું ગંગાજળ છે.પોતે સર્જૅલી સૃષ્ટિમાં જ્યારે દરેક ઠેકાણે પોંહચી શકવું ઈશ્વર માટે અશક્ય બન્યું તેથી તેમણે "માં" નું સજૅન કર્યું..અંત: કરણમાં રહેતા પ્રભુનુ બીજું નામ એટલે "માં". માં નું વાત્સલ્ય એ અમૃતના દરિયા કરતાં પણ વધારે મીઠું હોય છે.દરેક કલાકાર પોતાની કલાકૃતિને કંઈક ના કંઈક નામ આપતો હોય છે,પણ માં જેવો બીજો કોઈ કલાકાર આ દુનિયામાં નથી જે બાળકને જન્મ આપે છે તો પણ નામ પિતાનું આપે છે.મા એ સંતાન ની શિક્ષા, દીક્ષા અને સંસ્કારની ગુરુ છે.મા નો પ્રેમ એજ જીવન નો સૌથી મોટો આશીર્વાદ છે.

                                                         - શ્રદધા 😍

Comments

  1. ખૂબ જ સરસ ! માં વિશે જેટલું લખી શકો એટલું ઓછું છે પણ તમે ઓછા માં પણ ઘણું બધું કહી દીધું છે શરૂઆત માં કહ્યું તેમ યથા યોગ્ય જ છે કે સમુન્દ્ર ની શ્યાહી અને સર્વ વૃક્ષો ની ડાળી ઓ ને કલમ બનાવી ....ફરી એક વાર ખૂબ સરસ !!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

સ્નેહ

શહીદ

Shrr